‘ જળ એજ જીવન ‘ અથવા ‘ પાણી બચાવો જીવન બચાવો ‘ જેવા સૂત્રો તો આપણે ઘણી જગ્યાએ અને ઘણી વાર વાંચતા હોઈએ છીએ પણ શું આપણે એ સૂત્રો નો અમલ પણ કરીએ છીએ કે નહિ ? આપણે સૌ જાણીએ છીએ કે પાણી આપણા સૌ માટે કેટલું ઉપયોગી છે , એના વિના તો જીવનની કલ્પના પણ શક્ય નથી , તોપણ ઘણી ગૃહિણીઓ પાણીનો બગાડ કરે છે , પાણીનો જરૂર પુરતો ઉપયોગ તો કરવો જ જોઈર પરંતુ બહેનો શું તમે જાણો છો કે ભારત ના અમુક રાજ્યો એવા પણ છે જ્યાં પીવા ના પાણી ના પણ ફાંફા છે . આપણે તો સીધું નળ ચાલુ કરો અને પાણી મળી જાય પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં હજુ પણ સ્ત્રીઓને માથે બેડા ઉપાડીને કેટલાય ક્કીલો મીટર ચાલીને પાણી ભરવા જવું પડે છે . એમને પૂછશો તો પાણી ની સાચી કિંમત સમજાશે .